ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ, ગાંધી સ્મૃતિ, ખાતે આવેલ બાર્ટન સંગ્રહાલય ભાવનગર શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્રના અતુલ્ય વારસાની ઝાંખી દર્શાવતું સંગ્રહાલય છે. સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રજવાડાથી વારસામાં પ્રાપ્ત થયેલું આ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતુ સંગ્રહાલય છે.સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ ૧૯ થી ૨૫ નવેમ્બર દરમ્યાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આમ કરવાનો મુખ્ય હેતુ વિશ્વના વૈવિધ્યપૂર્ણ વારસાની જાગૃતિ કેળવવાનો છે. આ વર્ષે-૨૦૨૪ માં વર્લ્ડ હેરિટેજ વીકની થીમ ‘ડિવર અને વિવિધતાનો અનુભવ કરો’ છે. વૈશ્વિક વારસામાં દેશના અદ્ભૂત યોગદાનને પ્રકાશિત કરતુ આ સપ્તાહ ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ સપ્તાહના ઇતિહાસની વાત કરીએ તો ઈ.સ. ૧૯૭૨ના વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનને પગલે યુનેસ્કોની આગેવાની હેઠળની વ્યાપક ચળવળમાં આ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ હતી. જેમાં સાર્વત્રિક મૂલ્ય ધરાવતી સાઇટ્સને ઓળખવાનું અને તેનું રક્ષણ કરવા માટેનું માળખું સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમ બાર્ટન મ્યુઝિયમના આસિસ્ટન્ટ કયુરેટર સુશ્રી તેજલ પરમારે જણાવ્યું છે.
ભાવનગરનું બાર્ટન સંગ્રહાલય સૌરાષ્ટ્રનો અતુલ્ય વારસો

Recent Comments