ભાવનગર

ભાવનગરમાં  “ટીબી હારેગા દેશ જીતેગા”ઝુંબેશ અંતર્ગત 100દિવસ ટીબી કેમ્પેઈન વર્કશોપ યોજાયો

 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ 2025 સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા”  ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. તે હેતુને સિધ્ધ કરવા માટે આગામી 7 ડિસેમ્બરના રોજથી શરૂ થનાર 100 દિવસ ટીબી કેમ્પેઈન નું આયોજન કરવામાં આવેલ હતું.

જેની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના પ્રાઈવેટ પ્રેક્ટીશનરોની ભાગીદારી જોડવા માટે તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ 100 દિવસ ટીબી કેમ્પેઈન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.

દેશના કુલ 347 જિલ્લામાં આપણા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. જેનુ કારણ ટીબીના કારણે વધુ ડેથ રેઈટ અને લેઈટ ડાયગ્નોસીસ થવાના કારણે  ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર શરૂ કરી સંક્રમણની કડી તોડવા તથા ડેથ રેઈટમાં ઘટાડો કરવામાં આવે જેથી ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિધ્ધ થઈ શકે. આ કેમ્પેઈન હેઠળ જિલ્લામાં છેલ્લા પાંચ (5) વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ આયુ ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદિવાન તેમજ અન્ય હાઈરીસ્ક લોકોમાં ટીબીના સીમ્ટોમેટીક લક્ષણો મુજબ સ્પુટમ ટેસ્ટ તથા એક્સ-રે ની કામગીરી થનાર છે.

આ મહાઝુંબેશમાં તમામ પ્રાઈવેટ પ્રેક્ટીશનરોની ભાગીદારી જરૂરી છે. જે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમાર અને જિલ્લા ક્ષય તથા લેપ્રસી અધિકારી ડો. પી. વી. રેવર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ સાથે ટીબીના સીમ્પોમેટીક દર્દીના કેસ આપને ત્યાં સારવાર માટે આવે અથવા જોવા મળે તો તેને તાત્કાલિક નોટીફાઈડ કરશો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રો તેમજ જનરલ હોસ્પીટલોમાં નિદાન તથા સારવાર અર્થે મોકલી આપવા જન ભાગીદારી વધારવા અપીલ કરવામાં આવેલ હતી વધુમાં ડો. જીજ્ઞાબેન દવે દ્વારા કેમ્પેઈનો હેતુ ખરા અર્થમાં સિધ્ધ થાય તે માટે વક્તવ્ય આપેલ હતું.

આ વર્કશોપમાં આઈ.એમ.એ. પ્રમુખ ડો. કુહાડીયા, સર ટી હોસ્પીટલના સુપરીટેન્ડન્ટ ડો. ચિન્મય શાહ, ડો. જીજ્ઞાબેન દવે HOD & Prof. પલ્મોનરી મેડીસીન, ડો. હિતા શાહ HOD & Prof. સ્કીન એન્ડ વીડી ડીપાર્ટમેન્ટ ઉપસ્થિત રહેલ હતા.

Related Posts