ભાવનગર

ભાવનગરમાં ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ૩ લોકોના મોત

મહુવા નેશનલ હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ અચાનક થયેલી મોતને કારણે ત્રણેવનાં પરિવારમાં આક્રંદ અને આક્રોશનો માહોલ છવાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાંથી બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઇ રહી હતી. પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ મોતને ભેટી ગઇ છે. રિક્ષાના ચાલક અને તેમાં બેઠેલી બંને શિક્ષિકાના મોત નીપજ્યા છે. જેના કારણે ત્રણેવ પરિવારમાં આક્રોશ સાથે આક્રંદ ફેલાઇ રહ્યો છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts