ભાવનગર

ભાવનગરમાં મહોરમ/તાજીયાના તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

આગામી તા.૧૬/૦૭/૨૦૨૪ તથા તા.૧૭/૦૭/૨૦૨૪ના રોજ મહોરમ/તાજીયાનો તહેવાર ઉજવાનાર છે, જે દરમ્યાન ભાવનગર શહેરમાં ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોવાથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) થી તેમને મળેલા અધિકારની રૂએ ભાવનગર શહેરના નીચે જણાવેલ રસ્તાઓને તા.૧૬/૦૭/૨૦૨૪ ના કલાક ૧૮:૦૦ થી તા.૧૮/૦૭/૨૦૨૪ ના કલાક ૦૫:૦૦ સુધી એકમાર્ગીય જાહેર કર્યાં છે. એકમાર્ગીય રસ્તાઓમાં (૧) ભાવનગર શહેરના હેરીસ રોડના નાકાથી શેલારશા ચોક, સંઘેડીયા બજાર થઈને અલકા ટોકીઝ સુધી(૨)અલકા ટોકીઝથી વડવા તલાવડી ચોક થઈ ચાવડી ગેટથી બાપુની વાડી પાવર હાઉસ સુધી.(૩) વાસણ ઘાટથી શેલારશા ચોક અને મીની ગેસ્ટ હાઉસ સુધી.

(૪)ખારગેટ ચોકથી મામાકોઠા અને બાર્ટન ચોકથી હલુરીયા ચોક સુધી.(૫) સંતકંવરરામ ચોકથી કેસરબાઈની મસ્જીદ થઈ હલુરીયા ચોક સુધી.(૬) એસ.પી.
કચેરી સામે રોડથી નવાપરા રણવીર હનુમાનજી મંદિર થઈ મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી.(૭) જોગીવાડની ટાંકીથી રૂવાપરી રોડ બાર્ટન લાયબ્રેરી ચોક સુધી.(૮) ખડપીઠ મોર્ડન સર્વીસ સ્ટેશનથી નવાપરા ચોક, એસ.પી. કચેરી રોડ રણવીર હનુમાનજી મંદિર સુધી. (૯) શેલારશા ચોકથી આંબાચોક હેરીસ રોડના નાકા સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ. (૧૦)પારસીની અગીયારીથી મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી તેમજ દિપક ચોકથી વીમાના દવાખાના
સુધી, તાજીયાના રૂટ પર સામેથી મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામામાંથી પોલીસ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રીગેડ, યુલન્સ તથા આવશ્યક સેવા અંગેના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. સદરહું જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર હેઠળ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાનાન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”

Related Posts