મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ભાવનાગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અંદાજિત ૮ એકમો (કંપની)માં પ્રમોટર, સ્ટોર એક્સીક્યુટીવ, સેલ્સ એક્સીક્યુટીવ ઓપરેટર, એકાઉન્ટન્ટ, ઓપરેશન મેનેજર, પ્યૂન, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ઓફિસ એક્સીક્યુટીવ, ડિઝિટલ માર્કેટિંગ એક્સીક્યુટીવ, જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં B.COM, M.COM, BCA, DIPLOMA-MECHANICAL, ITI, ૧૨ પાસ, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણીકલાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુકો માટે ભરતીમેળામાં તા. ૨૭/૨/૨૩ ના રોજ સોમવારે સવારે ૧૧ વાગ્યે ડો. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ સામે, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની પાંચ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
ભાવનગરમાં રોજગાર ભરતી મેળો તા. ૨૭ ફેબ્રુઆરીના યોજાશે

Recent Comments