ભારત સરકાર દ્વારા તા. 17 સપ્ટેમ્બર 2024 થી તા. 2 ઓક્ટોમ્બર 2024 સુધી સ્વચ્છતા હિ સેવા 2024 “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે બીજી ઓક્ટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવણી અંતર્ગત સવારે 8.30 વાગ્યે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદાર નગર ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રૈયાબેન મિયાણી તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ભાવનગરમાં સ્વચ્છતા હિ સેવા 2024 અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની તા. 2 ઓક્ટોબરના ઉજવણી

Recent Comments