મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા તા.૦૮/૦૮/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે, ડો. આંબેડકર ભવન, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ખાતે ભરતીમેળો યોજાનાર છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં ડિપ્લોમા(ઑટોમોબાઇલ/મિકેનિકલ), ગ્રેજ્યુએટ, ૧૨પાસ, ૧૦પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે ઑટોમોબાઇલ એડ્વાઇઝર(ફ્રેશર), વર્કશોપ મેનેજર(૫-વર્ષ અનુભવ) હોમ સેલ્સ ઑફિસર, એજન્ટ, સેલ્સ એક્ઝિક્યૂટિવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪(ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર),ભાવનગરની અખબારી
યાદીમાં જણાવાયું છે.
ભાવનગરમાં ૮મી ઓગસ્ટના રોજ પાનવાડી ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું

Recent Comments