ભાવનગર

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ૨૫મી જુલાઇના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જુલાઇ-૨૦૨૪નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૭/૨૦૨૪(ગુરૂવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક,કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાના પુરા નામ-સરનામાં અને મોબાઇલ નંબર સાથે રજૂઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.જેની જાહેર જનતાને નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

Related Posts