ભાવનગર

ભાવનગર ખાતે ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું કેન્દ્રીય મંત્રીશ્રીનીમુબેન બાંભણિયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ

ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિકપુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા અને રાજયકક્ષા અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ અન્નપૂર્તિ મિશીનનાં લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતાં કહ્યું કે, વિકાસના એન્જીન સમું આપણું રાજ્ય સમગ્ર દેશ માટેદરેક ક્ષેત્રે વિકાસનું ઉદાહરણ બની રહે તે માટે  દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળગુજરાતના  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબ્બલ એન્જિનની સરકાર હંમેશા જન કલ્યાણ માટે કટીબદ્ધ રહી છે.ત્યારે આજે ભાવનગરના કરચલીયા પરા  વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ- મશીનુ લોકાર્પણ કરીને ભાવનગરજિલ્લાને એક અનેરી ભેટ મળી છે. .ટેક્નોલોજી સાથે સુમેળ સાધીને “અન્નપૂર્તિ” અનાજ એ.ટી.એમના માધ્યમથી જાહેરવિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈ રહી છે. આ અનાજના એ. ટી. એમ દ્વારારાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ (NFSA) સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ અંતર્ગત

લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉ તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિકપધ્ધતિ દ્વારા મેળવી શકશેમંત્રીશ્રીએ ઉમેર્યું કે,ભારત સરકારની યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ પ્રોગ્રામ સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતેરાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ એટીએએ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ આપેલા સૂત્ર ‘સૌનો સાથ,સૌનો વિકાસ’ની કાર્યસંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાનાલોકો સુધી પહોંચ્યાં છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળતા જ સંકલ્પ કર્યોછે કે આગામી સમયમાં ત્રણ લાખ લોકોને આવાસ, ઘર અને લખપતિ દીદી બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે જે વિકસિત ભારતની સંકલ્પનાને ખરા અર્થમાં સાકાર કરશે.

રાજયકક્ષા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે ૨૦૧૩ માં બનેલા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” (એન. એફ. એસ.૨૦૧૩) કાયદા હેઠળ ભારતમાં ૮૦ કરોડ લાભાર્થીઓ તેમજ ગુજરાતમાં ૭૪ લાખ કુટુંબોનેમફત અનાજ આપવામાં આવે છે. કોરોના થી શરૂ થયેલા લાભાર્થીઓને મફત અનાજ આપવાના ઉપક્રમને આગામીપાંચ વર્ષ ચાલુ રાખવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરેલ છે.વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.) થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથાઅમુક અનાજ નહિ મળતા હોવાની ફરિયાદ દૂર થશે. આ ઉપરાંત લાભાર્થી 24 કલાક માંથી ગમે ત્યારે જરૂરી રાશનમેળવી શકશે. કેન્દ્રની ટીમ દ્વારા પણ આ એ. ટી. એમ. ની કાર્યશૈલી જોઈને તેઓ પ્રભાવિત થયા છે.આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના પ્રયાસો થકી આજેભાવનગર જિલ્લામાં અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમને ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ એટીએમ થકી ભાવનગર જિલ્લાનીસાથે ગુજરાત રાજ્યના કોઈ પણ કાર્ડધારક હવે તેમની અનુકૂળતાએ નિયત અનાજનો જથ્થો મેળવી શકશે.કલેકટરશ્રીએ અન્નપૂર્તિ એટીએમને એક ક્રાતિકારી પગલુ ગણાવી સરકારશ્રીએ લોક ઉપયોગી અનેક નિતી વિષયકનિર્ણયો લીધા હોવાનું જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (UNWFP) સાથેની ભાગીદારીથીભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ (અનાજનું એ.ટી.એમ.) એ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણપહેલ છે. આ અનાજના ATM દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળસમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથાવન નેશન વન રેશનકાર્ડ (ONRC) અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થોતેમના આધાર આધારીત બાયોમેટ્રીકસ પધ્ધતિ દ્વારા મેળવી શકે છે.આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ભાવનગરમહાનગરપાલિકા કમિશનરશ્રી સુજીત કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, ધારાસભ્યશ્રીસેજલબેન પંડ્યા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, અન્ન અનેનાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી રમેશચંદ્ર મીના,  યુનાઈટેડ નેશન્સ વલ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રતિનિધિ અને કન્ટ્રીડાયરેક્ટર શ્રીમતી એલિઝાબેથ ફૌરે, ડીએસઓશ્રી ચેતનકુમાર પ્રજાપતિ સહિતના પદાધિકારી – અધિકારીઓ ઉપસ્થિતરહ્યાં હતાં.

Related Posts