વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા ધ્વજવંદન કરાવશે
૭૩ મા પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના ઉજવણી તળાજા ખાતે કરવામાં આવશે. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રીશ્રી ધ્વજવંદન કરાવશે.
આ ધ્વજવંદન કાર્યક્રમ તળાજા ખાતે આવેલ આઇ.ટી.આઇ.ના મેદાનમાં યોજવામાં આવશે. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી દ્વારા પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મંત્રીશ્રી દ્વારા ઉદબોધન અને પદક-પ્રદાન અને સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ/હોમગાર્ડ/એન.સી.સી.ની પરેડ, ઈનામ વિતરણ, વૃક્ષારોપણ વગેરે જેવાં કાર્યક્રમો રાષ્ટ્રભક્તિના વાતાવરણ વચ્ચે માં ભારતીની આન, બાન અને શાન વચ્ચે યોજાશે.
આ ઉજવણી અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
Recent Comments