ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાય
ભાવનગર ખાતે બેઠકમાં વડાપ્રધાન શ્રી દ્વારા થતી ‘મન કી બાત’ સાથે વિવિધ કાર્યક્રમો માટે થયેલ સમિક્ષા અને આયોજન ચર્ચા
ભાવનગર બુધવાર તા.૧૯-૭-૨૦૨૩
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ બેઠકમાં મોવડીઓએ ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાય તે હોવાનું જણાવ્યું. ભાવનગર ખાતે વડાપ્રધાન શ્રી દ્વારા થતી ‘મન કી બાત’ સાથે વિવિધ કાર્યક્રમો માટે થયેલ સમિક્ષા અને આયોજન ચર્ચામાં હોદ્દેદારો જોડાયા હતા.
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંબોધન કરતાં મોવડીઓએ ભાજપનું લક્ષ્ય એક એક કાર્યકરની ખંતથી જન જનનું કલ્યાણ થાય તે હોવાનું જણાવ્યું.
પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાએ જિલ્લા ભાજપના વિવિધ કાર્યક્રમો રચનાત્મક રહ્યાનું જણાવ્યું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ પ્રસારણ માટે કાર્યકર્તાઓ સાથે છેવાડા સુધી પહોંચ્યાનો રાજીપો જણાવ્યો. તેઓએ તાજેતરમાં વડાપ્રધાન શ્રીના સુશાસનના નવ વર્ષ કામગીરીની સફળતા માટે ઉજવણીમાં સામેલ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.
ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ શાસનની વૈશ્વિક મંચ પર લેવાયેલી નોંધને સૌના માટે ગૌરવરૂપ ગણાવેલ. કાર્યકરો દ્વારા માત્ર ચૂંટણીલક્ષી નહિ પરંતુ સમાજ અને સૌના હિત માટે સતત ચાલતા વૃક્ષારોપણ, સ્વચ્છતા વગેરે કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો. તેઓએ લોકસભાની આગામી ચૂંટણી સુધી સૌને સતત કાર્યરત રહેવા જણાવ્યું.
ભાજપ રાષ્ટ્રિય અ.જા. મોરચાના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયાએ લોકોને ઉપયોગી અને પક્ષની માર્ગદર્શિકા સાથે નવતર અને પ્રેરક કાર્યક્રમો માટે જિલ્લા ભાજપને અભિનંદન પાઠવ્યા.
આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહીર તથા જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા દ્વારા સંગઠન સાથે આગામી કાર્યક્રમો માટે ખભેખભા મિલાવી કામે લાગ્યા રહેવાની વાત કરી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ધારા સભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે જિલ્લા ભાજપના પાયાના વડીલ અગ્રણીઓ સાથે વર્તમાન હોદ્દેદારો મોટી સંખ્યામાં સામેલ થયા હતા.
‘મન કી બાત’ પ્રસારણ સંદર્ભે જિલ્લાના સંયોજક શ્રી નાનુભાઈ ડાખરાએ વિગતવાર સમયપત્રક સાથે આયોજન રજૂ કર્યું જેમાં શ્રી મહેન્દ્રભાઈ પનોત દ્વારા વિગત ઉમેરો કરવા સાથે તમામ જવાબદારોને તેમની સક્રિય ભૂમિકા માટે અનુરોધ કર્યો.
શ્રી સી.પી.સરવૈયાના સંચાલન સાથે અહીંયા શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી ભરતભાઈ મેર, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તથા શ્રી અભયભાઈ ચૌહાણ દ્વારા પણ સંગઠન કાર્ય આયોજન અંગે વિવિધ વિગતો આપી હતી. આભાર વિધિ શ્રી જગદીશભાઈ મકવાણાએ કરી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા બેઠકમાં વિવિધ કાર્યક્રમો માટે થયેલ સમિક્ષા અને આયોજન ચર્ચામાં પ્રદેશ, જિલ્લા અને તાલુકા સાથે તમામ પાંખના હોદ્દેદારો જોડાયા હતા તથા આગામી કાર્યક્રમો માટે જબરો પ્રતિસાદ આપ્યો હતો તેમ જિલ્લા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.
Recent Comments