ભાવનગર

ભાવનગર જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તા. ૦૩ ડિસેમ્બરનો રુટ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે.

જેમાં આવતીકાલે તા. ૦૩/૧૨/૨૦૨૩ નાં મહુવા તાલુકાનાં નાના પીપળવા અને મોટા પીપળવા, પાલિતાણા તાલુકામાં લાપળિયા અને મેંઢા, શિહોર તાલુકામાં સેંદરડા અને વાવ, ભાવનગર તાલુકાનાં નર્મદ/ખેતા ખાટલી અને કાળા તળાવ, વલ્લભીપુર તાલુકામાં કંથારીયા અને પચ્છેગામ, તળાજા તાલુકામાં મધુવન અને ઝાંઝમેર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Related Posts