કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે.જેમાં આવતીકાલે તા.૧૩/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં ભંડારીયા, ઘોઘા તાલુકામાં પાણીયારા-બાંભણીયા અને પીપરલા, તળાજા તાલુકામાં ભુંગર અને બોરડા, વલ્લભીપુર તાલુકામાં લાખણકા અને વેળાવદર,મહુવા તાલુકામાં કંતાસર અને ચોકવા, ગારીયાધાર તાલુકામાં ખોડવદરી અને રૂપાવટી, ઉમરાળા તાલુકામાં ચોગઠ,સિહોર તાલુકામાં સરકડિયા(સોનગઢ) અને પડાયા તેમજ પાલીતાણા તાલુકામાં હણોલ અને નેસડી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૩ ડિસેમ્બરનાંરોજ ફરશે

Recent Comments