સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ – ૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોની સર્વેની કામગીરી તા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૯/૦૮/૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવશે. શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે. રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરિયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો, કે અન્ય વિસ્તારમાં રહેતા બાળકોની માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી., બી.આર.સી. ભવન કે સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીને જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર સમગ્ર શિક્ષા કચેરી, ભાવનગર ની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જિલ્લામાં ધો. ૧ થી ૧૨ માં શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો સર્વે હાથ ધરાશે

Recent Comments