ભાવનગર

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગાર તત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ રહેલી છે.તેમજ આગામી દિવસોમાં ધાર્મિક તહોવારો આવનાર હોય.આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર,રાજય કે દેશમાંથી આવી કોઇ સ્થાનિક વ્યકિતના માલિકીના મકાન ભાડે રાખીને ભાવનગરમાં રહી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે/રેકી કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની શકયતા નકારી શકાય નહિ,જેથી ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર ભાડેથી મકાન આપતા મકાન માલિકો નિયમિતરૂપે તેઓના માલિકીના મકાનમાં ભાડે રહેતા ઇસમો/વ્યકિતઓ અંગેની માહિતી સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનને જણાવે તે ખુબ જ હિતાવહ છે.

જેથી પોલીસ અધિક્ષકશ્રી.ભાવનગરના પત્ર નં.એસ.ઓ જી/જાહેરનામું/ મકાન ભાડે ૯૦૬/૨૪ તા. ૧૩/૧૦/૨૦૨૪ થી મકાન માલિકો દ્વારા મકાન ભાડે આપવામાં આવે ત્યારે આ અંગેની માહિતીનું નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. જે દરખાસ્ત અનુસારનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો,ભાવનગર, ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારી,ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિક ખાસ સત્તા આપેલ વ્યકિતઓએ પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નીચેના નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ પણ વ્યકિતને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહિ આપવા ફરમાવુ છું.

નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાન વિગત/કયા વિસ્તારમાં ચો.મી બાંધકામ

મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ

મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?

જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ/સરનામા/ફોટા/પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ પુરાવા રૂપે સાથે આપવા

મકાન માલિકો ને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ/સરનામા/ફોટો/પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ પુરાવા સાથે આપવા

આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

Related Posts