વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે. વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર જિલ્લાની શાળાઓમાં નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, નાટ્ય સ્પર્ધા અને ક્વિઝ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે
ભાવનગર જિલ્લાની ૭૪૮ શાળા/કોલજોમાં નિબંધ સ્પર્ધામાં ૬૭૪૮ વિદ્યાર્થીઓએ, ૮૦૧ શાળા/કોલેજોમાં વકતૃત્વ સ્પર્ધામાં ૫૧૯૫ વિદ્યાર્થીઓએ, ૪૧૧ શાળા/કોલજોમાં નાટ્ય સ્પર્ધામાં ૧૦૬૭ વિદ્યાર્થીઓએ, ૬૪૨ શાળા/કોલજોમાં ક્વીઝમાં ૩૯૯૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જિલ્લાની ૧૧ શાળા/કોલેજોમાં લખપતિ દીદીના પ્રવચનનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments