ભાવનગર

ભાવનગર જિલ્લામા ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૭૧ કેસો પૈકી માત્ર ૧૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ સ્ત્રી મળી કુલ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકાનાં આંબલા ગામ ખાતે ૧, સિહોરખાતે ૧ તથા ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતાસારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩ તથા તાલુકાઓમા ૨ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવદર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આદર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્નેદર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએહોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૭૧ કેસ પૈકી હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Follow Me:

Related Posts