યુવાઓને રોજગાર અને કારકિર્દીક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રતિવર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો,ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાંકારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાદાયી લેખો
પણ આ અંકમા સમાવિષ્ટ છે. કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક મેળવવા માટે જિલ્લા માહિતી કચેરી, કલેક્ટર કચેરી પાછળ, મોતીબાગ ટાઉનહોલ પાસે, ભાવનગર
ખાતેથી રૂ.૨૦/-ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.
ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ વહેલા તે પહેલાના ધોરણેરૂ.૨૦મા મેળવી શકાશે

Recent Comments