ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ- ૫/૬, બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રજિસ્ટર્ડ નર્સ, આઈ. ટી. એક્સિક્યુટિવ, ટ્રેની, પ્લાન્ટ સૂપરવાઇઝર, ઓનલાઇન માર્કેટિંગ એક્સિક્યુટિવ, વેલ્ડર, ફીટર, મશીનિસ્ટની જગ્યા માટે ખાનગી કંપનીનાં નોકરીદાતા દ્વારા જરૂરીયાત મુજબ GNM, B.Sc. નર્સિંગ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તેમજ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૪૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરવામાં આવશે.જોબફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા / રીઝયુમની ૦૫ ઝેરોક્ષ, તમામ પ્રમાણપત્રોની નકલ સાથે ઉપસ્થિત રહેવું તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરીની telegram ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ૨૨મી નવેમ્બરના રોજ ભરતી મેળો યોજાશે

Recent Comments