૧૫-ભાવનગર-બોટાદ લોકસભા વિસ્તારના સાંસદશ્રી અને રાષ્ટ્રીય ભાજપા ના ઉપાધ્યક્ષશ્રી ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસથી ભાવનગર થી દિલ્હી,મુંબઈ,સુરત નવી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. વિકાસ યાત્રામાં વધુ એક યશકલગી ઉમેરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
ભાવનગરથી તા.૨૦/૦૮/૨૧ થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરી આ નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવશે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.
ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે.તેમજ જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનું જગ વિખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.આવતીકાલથી દિલ્હી અને મુંબઈ અને સુરત વિમાની સેવાનો શુભારંભ થશે.
શ્રીમતિડૉ.ભારતીબેન શિયાળને ભાવનગર શહેર-જિલ્લા ભાજપા ના આગેવાનો અને કાર્યકર્તા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા શુભકામનાઓ પાઠવી આભાર વક્ત કરે છે
Recent Comments