ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ એ શીશુવિહાર સંસ્થા આયોજિત આંગણવાડી શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહીને આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું….. મોન્ટેસરી ના સાધનો ના ઉપયોગ થકી બહેનો કઈ રીતે બાળકોને તાલીમ આપી શકે અને બાળકોના વિકાસમાં પ્રદાન કરી શકે તે અંગે પોતાના અનુભવો ની વાત કરી હતી …શ્રી હિરેનભાઈ ભટ્ટે શીશુવિહાર સંસ્થા માં વર્ષ 2011થી પ્રારંભ થયેલ કાર્યને આવકારતા જણાવ્યું કે ભાવનગર થી દક્ષિણામૂર્તિ અને શિશુવિહાર એ સમગ્ર એશિયામાં અજોડ છે … જે ગુજરાતમાં બાળ શિક્ષક માટે પૂર્વ ભૂમિકા ઊભી કરી આપનાર બન્યું છે….
ભાવનગર શિશુવિહાર આયોજિત આંગણવાડી શિક્ષક પ્રશિક્ષણમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યનું માર્ગદર્શન

Recent Comments