ભાવનગર

ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના ઉપક્રમે સ્કાઉટ તાલીમનો પ્રારંભ

ભાવનગર  શિશુવિહાર ક્રીડાંગણ ના ઉપક્રમે સ્કાઉટ તાલીમનો પ્રારંભ થયો છે.તારીખ ૧ મે થી શરૂ થયેલ ૧૦ દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ વાલીની ઉપસ્થિતિમાં  જાતે રસોઈ કરી હતી. ઉપરાંત આપત્તિ નિવારણ ના ઉકેલ ની તાલીમ આપવામાં આવેલ.. વિદ્યાર્થીઓએ તારીખ ૯ મે નાં રોજ  શ્રી શામપરા ખાતે શ્રી નલીનભાઈ પંડિત ને વાડીએ  સાયકલ પ્રવાસ કરીને  કુદરતી વાતાવરણમાં ટેન્ટ પીચિંગ , એડવેન્ચર એક્ટીવીટી, વાડી દર્શન , કેમ્પફાયર , બાળકોને નાની વયે અંધારાની બીકને દુર કરવા માટે રાત્રી રમત અને રાત્રી રોકાણ નો અનુભવ લીધો હતો કાર્યક્રમનું સંચાલન શ્રી પાર્થભાઈ તથા શ્રી કમલેશભાઈ વેગડે સંભાળ્યું હતું

Related Posts