ભાવનગર શિશુવિહાર ખાતે ઉનાળાનાં પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ શ્રી ઉષાબહેન ચંદ્રવદન શાહનાં સહયોગથી સતત ૬માં વરસે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને ચંપલ વિતરણ કરવામાં આવ્યુ.ઘરકામ મજૂરી કામ સાથે પોતાના બાળકોનો સ્વસ્થ ઉછેર કરવા માટે જાગ્રત વાલીઓ માટેનાં વિતરણ કાર્યક્રમ સમયે શહેરનાં જાણીતા પત્રકાર શ્રી બકુલભાઈ ચાતુર્વેદી તેમજ શ્રી વિપુલભાઈ હીરાણી ઉપસ્થિત રહી ગરીબ પરિવારોને ચપંલનું વિતરણ કરેલ. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજુભાઈ દવે , ટ્રસ્ટી શ્રી શબનમબહેન કપાસી , શ્રી નીર્મોહિબહેન ધ્રુવ , શ્રી વંદનાબહેન મુકેશભાઈ ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૫૦થી વધુ બાળકો અને તેનાં વાલીઓને સંબોધતા સાહિત્યકાર શ્રી નીતિનભાઈ ત્રિવેદીએ મા – બાપ બાળકો માટે શાળા બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી
ભાવનગર શિશુવિહાર ખાતે ઉનાળાનાં પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ

Recent Comments