ભાવનગર શિશુવિહાર ખાતે ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૭૩ મી બેઠક યોજાઈ.સંચાલન કવિશ્રી જયેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. “કવિ વિશેષ” ઉપક્રમ અંતર્ગત બુધસભા ના વરિષ્ઠ કવયિત્રી “પ્રફુલ્લાબેન વોરા” ના જીવન કવન વિષયે શ્રી મહેશ્વરીબેન મહેતા દ્વારા કવિ ના કરુણ છતાં પ્રેરક આ લોકની પાર જઈ ક્ષણભર એ અફાટ જીવન સાગરની ઝાંખી કરી તેમના કાવ્યો ને વાચા આપી સ્મરણાંજલિ અર્પી હતી. ડૉ. નટુભાઈ પંડ્યા, ડૉ. પથિક પરમાર, કવિશ્રી હિમલ પંડ્યા, કવિશ્રી નટવર વ્યાસ, કવિશ્રી સુનિલ પરમાર, શ્રી ભરતવાળા, શ્રી જયંત હુંબલ, શ્રી પ્રહલાદ મહેતા, માનસી પરમાર, શ્રી મધુ વાસાણી, શ્રી મોના મહેતા,શ્રેયાબેન,શ્રી કૃપા ઓઝા,શ્રી અજય ઓઝા સહિત સૌ કવિ વડીલો, મિત્રો ની વિશેષ ઉપસ્થિતિ સાથે સૌ ની સ્વરચના ની પ્રસ્તુતિ રહી,કવિ મિત્રો, વડીલોની હાજરી માં બુધસભા રસ પ્રચુર રહી હતી
ભાવનગર શિશુવિહાર ખાતે ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૭૩ મી બેઠક યોજાઇ

Recent Comments