ભાવનગર શિશુવિહાર ખાતે ૪૩૬ અને ૪૩૭ માં નેત્રયજ્ઞ માં ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મુતિમાં શ્રી યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાય ગયો. તેમજ સ્વ. વડીલોની સ્મુતિમાં શ્રી ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તારીખ.૨૨ એપ્રિલએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૯૭ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શુભમસાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. શ્રીમતી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે ૧૩ દર્દીઓને ૧૩ એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.આ પ્રસંગે શ્રી સુહાસિની બહેન પંડ્યા તથા શ્રી ભાવનાબેન જાગ્રત ભાઈ ભટ્ટ દ્વારા દર્દીઓ તથા તેને વીરનગર લઈ જનાર સ્ટાફ ને સોલાપુરી ચાદર ભેટમાં આપવામાં આવી હતી….દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.
ભાવનગર શિશુવિહાર ખાતે ૪૩૬ અને ૪૩૭ માં નેત્રયજ્ઞ માં ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

Recent Comments