ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્વારા ૭૭૫ મો દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાય સંસ્કારધામ  પ્રાથમિક શાળા નંબર ૬૯ માં શિશુવિહાર સંસ્થા દ્વારા ૭૭૫ મી દૃષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયી. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી સી.એસ.આર. એક્ટિવિટી તરીકે યોજાયેલ આ દૃષ્ટિ ચકાસણી શિબિરમાં પ્રાથમિક શાળાનાં 45 બાળકોની  આંખ તપાસ તથા ૨૪ બાળકોને જરૂરિયાત મુજબ સ્પ્રિંગ વિઝનનાં સૌજન્યથી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ…તા ૧૪  માર્ચ એ યોજાયેલ શિબિરનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર શ્રી રાજુભાઈ મકવાણા,જાવેદભાઈ લોયાએ કર્યું હતું.

Related Posts