ભાવનગર

ભાવનગર સહિત 11 જિલ્લાઓમાં આજે  સિંહ દિવસ ઉજવાશે 

સમગ્ર વિશ્વમાં ગુજરાત એશિયાટિક સિંહ માટે સુખ્યાત છે .સાસણગીર સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે તેની પાછળનું તેનું કારણ સિંહ છે.તેના સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે તે તેના પાયામાં છે. સાસણ વાઈલ્ડૅ લાઈફ ડીવીઝનના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના 11 જિલ્લાઓમાં સિંહ દિવસની ઉજવણી આજે  થશે.શિક્ષણ વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે અને રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસોથી આ ઉત્સવ જન જન સુધી પહોંચ્યો છે. સિહનો લગાવ અને પ્રેમ પણ આમ પ્રજામાં વધ્યો છે. 

ભાવનગર જિલ્લાના સિંહ દિવસ સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે એક વાતચીતમાં જણાવ્યું કે  આજે 10 ઓગસ્ટના ઉજવણી થનાર સિંહ દિવસ તરીકે 2016 થી ગુજરાતમાં ઉજવાઈ રહ્યોં છે.ચાલુ વર્ષે આ નવમો સિંહ દિવસ છે.  ઉતરોતર તેની ઉજવણીમાં વધુને વધુ શિક્ષણ સંસ્થાઓ, લોકો જોડાઈ રહ્યાં છે.સિંહના મોહરા પહેરીને નીકળતાં બાળકોને પણ એક અનન્ય જુસ્સો તેના ચહેરા ઉપર છવાઈ જાય છે. એટલું જ નહીં તેના જીવનની પોઝિટિવિટી ને અને હિંમતને વધારવા માટે પણ આ કાર્યક્રમ મહત્વનો સાબિત થઈ રહ્યોં છે.

આજે 10 મી ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાની કુલ  1613 શાળાઓના 3,96,256 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્સો બનશે. ભાવનગર જિલ્લામાં સને 2020માં થયેલી ગણતરી મુજબ દરિયાકિનારે 17 અને બીજા અન્ય ભાગમાં 56 મળીને કુલ 76 સિંહોનો વટવાટ છે. જો કે અમરેલી જિલ્લાના લીલીયાને અડીને આવેલાં ગારીયાધાર તાલુકામાં પણ આ સિંહો વધુ માત્રામાં વસવાટ કરી રહ્યાં છે. ગુજરાતમાં સિંહની વસ્તી સને 1990 માં 284 હતી જે 2020 ની ગણતરીમાં વધીને 674 થઈ છે. દર પાંચ વર્ષે થતી વસ્તી ગણતરીમાં 28.87 ટકાનો વધારો સિંહની વસ્તીમાં નોંધાયો છે. જે એક  સંતોષજનક કહી શકાય તેવી ઘટના છે. સાસણ વાઈલ્ડ લાઈફ ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના નેતૃત્વમાં સમગ્ર સૌરાષ્ટ્રના ભૂભાગમાં થઈ રહેલી આ ઉજવણી વન્ય પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓ માટે મહત્વની અને ઉત્સાહ પ્રેરક હોય છે.

Related Posts