કચ્છભરમાં વર્ષોથી ઠેકઠેકાણે દબાણ થતાં હોવાની ફરીયાદો આવતી હોય છે. છેલ્લા થોડા સમયથી સખત કલમો તળે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ પણ નોંધવામાં આવે છે, પણ દબાણકર્તાઓને કોઈ ફરક પડતું ન હોય તેમ બેફામ બન્યા છે. ત્યારે ભુજમાં તો અતિક્રમણકારીઓએ તો હદ કરી નાખી છે. અને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જ દબાણ કરી ગાયો માટે વાડો બનાવી નાખ્યો છે. ભુજ શહેરમાં સરપટ નાકા પાસે આવેલી જ્યુબિલિ હોસ્પિટલ છેલ્લા અનેક વર્ષોથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. તો હાલ થોડા દિવસો પહેલા આ હોસ્પિટલ પાસે આવેલી એક ખાનગી જમીન ધારકોએ હોસ્પિટલના પ્રાંગણ અંદર ગાયો રાખવા માટે વાડો બાંધી નાખ્યો છે. સરકારી જમીન પચાવવા ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓ તેમજ દર્દીઓ માટે આ પરેશાની બની છે. ગાયોના વાડાના કારણે સતત ગોબર અને મળમૂત્રની દુર્ગંધ હોસ્પિટલમાં ફેલાઈ રહીછે, તેવી ફરિયાદ હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓએ કરી હતી. તો આ મુદ્દે વધુ જણાવતા હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે આ દબાણના કારણે હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તો સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલ પણ જળવાઈ રહ્યું નથી. છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ માં જ દબાણકર્તાઓએ ગાયનો વાડો બનાવી નાખ્યો

Recent Comments