કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે ૪૭૩ મો સ્થાપના દિવસ છે. ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ સવંત ૧૬૦૫માં મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી. રાજવી ખેંગારજી પહેલાએ ભુજનું તોરણ બાંધી ખીલી ખોડી હતી. ત્યારબાદ દર વર્ષે ખીલી પૂજન કરવામાં આવે છે. ભુજમાં આવેલા દરબારગઢ , આયના મહેલ , પ્રાગમહેલ, રાણીમહેલ, ફતેમામદ ખોરડો તેમજ જુના રાજાશાહી સમયના નાકા ઐતિહાસિક શહેરનો પરિચય કરાવે છે.
દર વર્ષે ભુજ શહેરની સ્થાપના દિવસે ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધિ કરવામાં આવે છે. ભુજની સ્થપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોનો સામનો કર્યો છે.
ભુજ સ્થાપના દિવસની ઊજવણીમાં કોંગ્રેસનો કાર્યકરોનો અતિરેક જાેવા મળ્યો હતો. જાહેર સ્થળ પર કેક કાપી કોંગ્રેસી કાર્યકરોએ ઊજવણી કરી હતી. જાે કે આ સમયે કોંગ્રેસના કાર્યકરો માસ્ક વિના જાેવા મળ્યા હતા. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં કોવિડના નિયમોનો ઉલ્લંઘન જાેવા મળ્યો હતો.
ભુજ શહેરનો ૪૭૩મો સ્થાપના દિવસ ઉજવાયો, કોંગ્રેસી કાર્યકરો ભૂલ્યા ભાન

Recent Comments