અમરેલી

ભુરખીયા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક આધેડનું મોત

  મુળ સાવરકુંડલા અને હાલ આસરાણામા રહેતા એક આધેડ લાઠીના ભુરખીયા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જી નાસી જનાર ચાલક સામે ફરિયાદ નાેંધાવી છે.

  આધેડ ગળકાેટડથી કામ પતાવી પાેતાનુ માેટર સાયકલ લઇને આસરાણા જતા હતા. મુળ સાવરકુંડલાના અને હાલ મહુવાના આસરાણામા રહેતા ધીરૂભાઇ ઉર્ફે ઘાેહાભાઇ છનાભાઇ ગાેહિલ બાબરા તાલુકાના ગળકાેટડીમા ખરખરાના કામે આવ્યા હતા. તેઓ પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 એએન 6133 લઇને આસરાણા તરફ જઇ રહ્યાં હતા. ત્યારે ભુરખીયા નજીક કાેઇ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જાે કે અહી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વિનુભાઇ પરશાેતમભાઇ ચાૈહાણે અકસ્માત સર્જી નાસી જનાર ચાલક સામે ફરિયાદ નાેંધાવી છે.

Related Posts