દામનગર ના ભુરખીયા પ્રાથમિક શાળા તાલુકો લાઠી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવની ઉજવણી ગુજરાત ગ્રામ વિકાસ કાર્યાલય ગાંધીનગરના અધીક અંગત સચિવ શ્રી જે.એ.ગામીત સાહેબની અધ્યક્ષતા મા કરવામા આવેલ હતી.જેમા ભુરખીયા ગામના સરપંચ શ્રી રમેશ્ભાઇ બારડ , લાઠી તાલુકા પંચાયત સભ્ય શ્રી ચીરાગભાઇ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી શ્રી જી.જે.અઘેરા સાહેબ બી.આર.સી કો.ઓર્ડીનેટર શ્રી સલીમભાઇ લોહીયા ભુરખીયા મંદીર ટ્રસ્ટી શ્રી નરસીંહભાઇ ડોડીયા અમરશીભાઈ પરમાર ની પ્રેરક ઉપસ્થીતીમા ઉજવાણી કરવામા આવેલ હતી. વિશેષમા ભુરખીયા મંદીર ટ્રસ્ટ દ્વારા પ્રવેશ પામતા તમામ બાળકોને કીટ તથા ધોરણ ૩ થી ૮ મા અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થીઓને નોટબૂકનુ વિતરણ કરવામા આવેલ હતુ.કાર્યક્રમની ખુબ સારી ઉજવણી કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ અંગત સચિવ શ્રી જે.એ.ગામીત સાહેબ દ્વારા સમગ્ર શાળા પરીવારને શુભેચ્છા પાઠ્વી હતી
ભુરખીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવની ઉજવણી

Recent Comments