સૌરાષ્ટ - કચ્છ

ભોજપરા પાસે અખાદ્ય ચીજ વેચતા બે વેપારીઓને જેલ હવાલે મોકલવામાં આવ્યા

ગોંડલ તાલુકા પોલીસે એક વર્ષ પહેલાં ભોજપરા પાસે એક કારખાનામાં દરોડો પાડ્યો હતો, જેમાં નિલેશ કરિયા અને કરણ છગએ પોતાના ગોડાઉનમા કોઇ આધાર પુરાવા કે લાયસન્સ વગર ભેળસેળ યુકત ઘી બનાવી ઉત્પાદન કરી વેચાણ કરતા મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે જાણવા જાેગ કાર્યવાહી કરી હતી. અને આ કામે ફૂડ-સેફ્ટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જરૂરી સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા હતા, જે મુદામાલનુ પૃથ્થકરણ થઇ રિપોર્ટ આવતા મદદનીશ કમિશનરની કચેરી રાજકોટથી પણ અખાદ્ય પદાર્થ તરીકે હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેથી આ કામના આરોપીઓએ સાથે મળી પોતાના ગોડાઉનમા જરૂરી સાધન સામગ્રી મેળવી, પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોને ભેળસેળ વાળુ ઘી બનાવી, શુધ્ધ ઘી અને સારી ગુણવતાવાળું હોવાનું જણાવી ગ્રાહકોને વેચાણ કરી, લોકોના જાહેર આરોગ્યને નુકશાન થાય તેવું કૃત્ય આચરતા હતા.

આથી આ બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પીએસઆઇ એમ જે પરમાર, પી એસ આઇ ડી પી ઝાલા સહિતના કર્મચારીઓ જાેડાયા હતા.ગોંડલના ભોજપરા પાસે આશરે એક વર્ષ પહેલાં બે વેપારીઓ શુદ્ધ ઘીનાં નામે અખાદ્ય વસ્તુ પેક કરી બજારમાં ધાબડી દઈને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી છેતરપિંડીથી નાણાં કમાતા હોઇ પોલીસે દરોડો પાડી જે તે સમયે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફૂડ વિભાગની તપાસમાં અખાદ્ય ચીજ હોવાનું સાબિત થતા બંને શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.

Related Posts