અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ગત તા. ર૭/૧ર/ર૦રર ના રોજ ગાંધીનગર ખાતે અમરેલી સંસદીય વિસ્તારને લગત વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓને મળીને રૂબરૂ રજુઆત કરેલ હતી. જેમાં શ્રી ખારવા સમાજ માચ્છીમાર બોટ એસોશીએશન–જાફરાબાદના પ્રમુખ શ્રી કનૈયાલાલ સોલંકી તરફથી કરવામાં આવેલ માંગણીઓ અન્વયે સાંસદશ્રીએ અમરેલી જી૬ત્સિલાના જાફરાબાદ બંદરના વિકાસ અને માછીમારોના પ્રશ્નો અંગે મત્સ્યોધોગ મંત્રી શ્રી પરષોતમભાઈ સોલંકીને નીચે મુજબની રજુઆતો કરેલ હતી. જેમાં (૧) જાફરાબાદ બંદર (પીપળીકાંઠા) વિસ્તારમાં બોટ લગાડવા માટે નવી જેટીનો સર્વે થઈ રહયો છે. જેમાં પ૦૦ મીટરની નવી જેટી બની રહેલ છે. તેમાં રપ૦ મીટરની જેટી જી.એમ.બી. ઓફીસ થી ભુતડાદાદાના મંદિર સુધી બનાવવામાં આવે
તો લોકોની બોટ તેમના વિસ્તારોમાં લગાડી શકે અને સરળતાથી વ્યવસાય કરી શકે તેમ છે. આ કામે ટેન્ડરીંગ પણ થઈ ગયેલ હોય, તો તેનું સત્વરે કામ ચાલુ થાય તે માટે ઘટતું કરવા તેમજ (ર) અમરેલી જીલ્લામાં આવેલ તાઉ’તે વાવાઝોડાના કારણે જાફરાબાદ બંદરમાં ખુબ જ કાદવ ભરાય ગયેલ છે.
જેના લીધે માછીમારોને પોતાની બોટોને અવર જવર કરવા માટે ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. જેથી જાફરાબાદ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ખાતે ટ્રેડીશ્નલ પધ્ધતિથી મેન્ટેનન્સ ડે્રજીંગની કામગીરી હાથ ધરવા માટેની કાર્યવાહી થાય તે માટે ઘટતું કરવા તેમજ (૩) જાફરાબાદ દરીયાઈપટ્ટી ઉપર દુર દુર ૬૦થી ૭૦ નોટીકલ માઈલ સુધી બોટમાં રહેલ વ્યકિત કે માછીમારને કાંઈ ઈજા થાય અથવા તો હાર્ટ એટેકના કિસ્સામાં બોટની સ્પીડ ઓછી હોવાને લીધે બંદર સુધી લાવવા તથા હોસ્પિટલ ખસેડવામાં ખુબ જ મુશ્કેલીઓ પડે છે. ઘણીવાર તો અધ્ધવચ્ચે જ દર્દીઓના મૃત્યુના થયાના દાખલાઓ પણ બનેલ છે. તો માછીમારો માટે જાફરાબાદ બંદરે દરીયાઈ એમ્બ્યુલન્સ–૧૦૮ સુવિધા ફાળવવા તેમજ (૪) વત૬/ગ્:ત્સમાનમાં જાફરાબાદ બંદરના માછીમારો કોન્ટેકટ કરવા માટે વી.એચ.એફ. (વાયરલેસ) નો ઉપયોગ કરી રહયા છે.
પરંતુ વાવાઝોડા તથા અન્ય કુદરતી આફત સમયે આ વાયરલેસ કામ આપતા નથી. જેના લીધે બોટોને દરીયામાં જાણ કરવાનું મુશ્કેલ બને છે. પરીણામે જાનમાલને નુકશાન પહોંચે છે. તેથી જાફરાબાદ વિસ્તારના માછીમારો માટે સરકારશ્રી તરફથી પ૦% સબસીડી સાથે સેટેલાઈટ ફોન (કનેકટીવીટી) ફાળવવામાં આવે તો માછીમારોને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ છે. (પ) છેલ્લા ઘણા સમયથી માછીમારોને મળતું ડીઝલ હાઈવેના પંપ કરતા પણ મોંઘુ છે. જો ડીઝલના ભાવ ઘટાવવામાં આવે તો માછીમારોને થોડી રાહત થાય તેમ છે. તેમજ (૬બ્?ઉસ) જી.એફ.સી.સી.એ.લી. દ્રારા બી.પી.સી.એલ. કંપની સાથે કોન્ટ્રાકટ નકકી કરવામાં આવેલ ત્યારે માછીમારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવેલ હતું. તો માછીમારોને આ વળતર/ડીસ્કાઉન્ટ મળી રહે તે માટે સાંસદશ્રીએ મંત્રીશ્રીને અસરકારક રજુઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલય અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments