મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના બીજા દિવસે આજે સંવેદના દિનની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મંત્રીશ્રીએ અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા તેમજ સિવિલ હોસ્પિટલના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી વસાવાએ અમરેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછી ફ્રુટનું વિતરણ કર્યુ

Recent Comments