ભાવનગર

મકરસંક્રાંતિના દિવસે ગૌ ધામ કોટિયા ખાતે ગૌ માતાના પૂજન સાથે પુણ્ય કાર્ય કરવામાં આવ્યું

કુંઢડા (તા.તળાજા)ગામ નજીક ડુંગર ગાળામાં આવેલા ગૌ ધામ કોટીયા (દત્તાત્રેય આશ્રમ) ખાતે મકરસંક્રાંતિના દિવસે 200 ઉપરાંત દેશી ગાયોને શુદ્ધ ઘ, ગોળ, ટોપરું સહિતનું ખાણદાણ ખવડાવીને પુણ્ય કાર્ય કરવામાં આવ્યું હતું. આશ્રમના મહંત લહેરગીરીબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા ગૌ પૂજન સાથે ધાર્મિક વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અહીં છેલ્લા 13 વર્ષથી 200 ઉપરાંત દેશી ગીરગાય નું સંવર્ધન સાથે પાલન કરવામાં આવી રહ્યું છે.

Related Posts