સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોવિડ ૧૯ ના ૨૦,૧૩૯ નવા કેસ સામે આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૪,૩૬,૮૯,૯૮૯ થઈ છે. ત્યારે મૃતકોની સંખ્યા ૫,૨૫,૫૫૭ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડથી ૧૬,૪૮૨ લોકો રિકવર થયા છે. દેશમાં કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા વધીને ૪,૩૦,૨૮,૩૫૬ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થતો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમિત ૨૫૭૫ વધુ દર્દીઓ મળી આવ્યા તથા ૧૦ સંક્રમિતોના મોત થયા છે.
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮૦,૧૦,૨૨૩ થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખઅયા ૧,૪૮,૦૦૧ થઈ ગઈ છે. ત્યારે રાજધાની દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૯૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ત્રણ દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સંક્રમણ દર ૩.૧૬ ટકા નોંદાયો છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના કેસ વધીને ૧૯,૪૧,૯૦૫ થઈ ગયા. ત્યારે મૃતકોની સંખ્યા ૨૬,૨૮૮ થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે.
મણિપુર સરકારે રાજ્યમાં તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી આગામી સપ્તાહ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સત્તાવાર આદેશ મંગળવારના જાહેર કરવામાં આવ્યો હતો.દેશમાં કોરોના વાયરસની રફતાર સતત તેજ થઈ રહી છે. કોવિડ ૧૯ ના નવા કેસમાં ૧૯ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૦,૧૩૯ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૮ લોકોના મોત પણ થયા છે. આ સાથે દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૩૬,૦૭૬ થઈ ગઈ છે.
Recent Comments