ભાવનગર

મતગણતરીના દિવસે ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા તથા મોબાઇલ, સેલ્યુલર ફોન, કોડલેસ, વગેરે ઉપકરણોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારૂ સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમાં અસામાજીક/ અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરીનુ કામ શાંતિથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ વિસ્તારમાં કોઇપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક છે. ઉપરાંત મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં અસામાજિક /અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે, મતગણતરીનુ કામ શાંતિથી પૂર્ણ થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી લોકોને ટોળા સ્વરૂપે એકઠા થવા પર
નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.મહેતાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું ફરમાવ્યુ છે.

જેમાં (૧) મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના કલાક ૬:૦૦ થી સમગ્ર મતગણતરી પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજયમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવુ નહી, સભાઓ ભરવી નહી.
(ર) મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ વિસ્તારમાં કોઇપણ વ્યકિત મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન વગેરે ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી. ઉપર ક્રમ નં.(૧) થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/અધિકારીઓ/ મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી.

ઉપર ક્રમ નં.(ર) થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અને જેઓને ચૂંટણી પંચ કે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા એવી પરવાનગી અપાયેલ હોય તેવા અધિકૃત કર્મચારી/અધિકારીઓને મતગણતરી સ્થળ પુરતો લાગુ પડશે નહી. આ હુકમ ભાવનગર શહેરમાં આવેલી સરકારી એન્જિનીયરીંગ કોલેજ, વિદ્યાનગર ખાતે રાખવામાં આવેલ મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૨૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગુ પડશે.આ આદેશનો ભંગ કરનાર
ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે.” આ જાહેરનામું તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરીના દિવસ માટે અમલમાં રહેશે.

Related Posts