હાલ અમરેલી જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમની ઉંમર તા. ૦૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ દિવ્યાંગો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે અને સુધારા વધારા કરી શકશે. ઉપરાંત આધારકાર્ડ પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૪ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરવો અથવા વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. આથી જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ દિવ્યાંગોને મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી,અમરેલીની એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે

Recent Comments