રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં શનિવાર સવારથી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરની ૨૦૫ જેટલી મદરેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. આ સરવે દરમિયાન દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદ બંધ હોવાથી શિક્ષક બંધ મસ્જિદનો ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ પોલીસે તાત્કાલિક ટોળા સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. જેમા ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં અમદાવાદ પોલીસ ૨ લોકોની ધરપકડ કરી

Recent Comments