.-
ગીર ની મધ્ય માં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ નજીક પ્રકૃતિ ના ખોળે શ્રી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજથળી ખાતે નવરાત્રી દરમિયાન આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ સંરક્ષક શ્રીમહંત હરિગીરીબાપુ ના અનન્ય શિષ્ય મહામંડલેશ્વરશ્રી જયઅંબાનંદગીરી માતાજી (શ્રી પંચ દશનામ જુના અખાડા) દ્વારા અનુષ્ઠાન, ખંડ પૂરણ, પાઠ, મહાકાળી તથા હિંગળાજ માતાજી નું પૂજન, અર્ચન, મહાઆરતી, હોમાત્મક યજ્ઞ, બીડુંહોમ, મહાપ્રસાદ વગેરે ધાર્મીક કાર્યક્રમો ની ઉજવણી કરી નવરાત્રી નું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું આ તકે દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના યુવા અગ્રણી કૃષ્ણગીરી ગોસ્વામી લીંબડી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી અમરેલી, અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા, જનકગીરી ગોસ્વામી ધારી ઉપસ્થિત રહી આશિર્વચન મેળવ્યા હતા
Recent Comments