ભાવનગર જિલ્લા ના તળાજા ગારિયાધાર અલંગ મણાર કોવિડ ની મહામારી માં સેવા ની ધૂણી ધખાવી બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓ દ્વારા ઠેર ઠેર મફત આઈસોલેશન માં પોઝીટીવ વાતાવરણ માટે કલાકારો પણ મેદાને જેની હાજરી માત્ર થી હાસ્ય પ્રગટે તેવા સુપ્રસિદ્ધ લોક સાહિત્ય કારો અને સેવાટીમ સુરત નું સૌરાષ્ટ્ર માં કોવિડ ના દર્દી ઓની સેવા માટે “હમ સાથ સાથ હૈ” સુરત ની સેવાટીમ અને લોકસાહિત્ય કારો હાસ્યકલાકારો નું પોઝીટીવ અવરનેસ
ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ એક એમ્બ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ મા આપવામા આવી. અને વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરતા
હાસ્યકલાકાર પોપટભાઇ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ- સુદામા , યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની , સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના ક્રુણાલ રામાણી , ધ્રુવ કસવાલા, મયુર જસાણી , શૈલેશ સવાણી અને ટીમ તળાજા ખાતે.હાસ્ય કલાકાર પોપટભાઇ અને જગવિખ્યાત સાહીત્ય કલાકાર માયાભાઇ આહીર સાથે તળાજા મુકામે આઇસોલેશન સેન્ટર માં જરૂરી મદદ સુરત સેવાટીમ દ્વારા પોતા પ્રાઇવેટ કારો ને ઓકિસજન એમ્બ્યુલન્સ બનાવી દેનાર અસંખ્ય વતન પ્રેમી ઓની સેવા જોઈ લોકસાહિત્ય કાર માયાભાઇ એ સેવાકાર્ય કરતા આ તમામ યુવાનોને બીરદાવ્યા હતા.
તળાજા આઇસોલેશન સેન્ટર ખાતે કેન્સર ના નિષ્ણાંત ડો. મહેન્દ્ર સરવૈયા દ્વારા કોરોના ના દર્દીઓ માટે આયુર્વેદીક માર્ગદર્શન પુરુ પાડેલ.અને સુરત થી સૌરાષ્ટ્ તરફ વતનને વ્હારે આવ્યા તેવી જાણ થતા માયાભાઇ આહીર દ્વારા યુવાનોને અભિનંદન પાઠવવામા આવ્યા અને સમગ્ર તળાજા ના તમામ આઇસોલેશન સેન્ટર પર માયાભાઇ સાથે રહી દર્દીઓ સાથે વાર્તાલાપ અને ડોકટરો ને જરુર પડતા સાધનો અને દવાઓ વિશે ચર્ચા કરી. ત્યાર બાદ સમગ્ર ટીમ અલંગ ખાતે રેડક્રોસ બેંક દ્વારા નિશુલ્ક ચાલતી હોસ્પિટલ ની મુલાકાત લેવામા આવી .સેવા ના કાર્યમા માયાભાઇ આહીર દ્વારા દરેક સેન્ટર પર જરુરી દવા ઓ અને ફ્લોમીટર આપવામા આવે છે. દરેક જગ્યા સેન્ટર પર સેન્ટર આયોજકો સાથે વાર્તાલાપ કરી વધુમા વધુ પોઝીટીવ દર્દી સાથે પોઝીટીવ વાતાવરણ ફેલાવી વહેલી તકે સ્વસ્થ કરવા જણાવેલ
Recent Comments