ભાવનગરમાં આજથી પ્રારંભ થયેલ રામકથામાં વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુ તથા આશીર્વચન પાઠવતા શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી દ્વારા મહારાજા શ્રી કૃષણકુમારસિંહજીનું પૂણ્યસ્મરણ કરાયું હતું. રજવાડાના વિલીનીકરણમાં પ્રથમ રાજ્ય અર્પણ કરી દેવાના વૈશ્વિક પ્રસંગ સાથે આ રાજવી પરિવારની ભાવનાને બિરદાવવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે, કથા પ્રારંભમાં પણ રાજવી પરિવાર જોડાયેલ. અહીંયા ભાવનગર રાજ્યના દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણી સાથે જ દિવ્ય પ્રતિભાવંત પુરુષોની સ્મરણ વંદના થઈ હતી.
મહારાજા શ્રી કૃષણકુમારસિંહજીનું પૂણ્યસ્મરણ…

Recent Comments