એનસીપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણી મતે નોમિનેશન ફોર્મ ભર્યું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ અજિત પવાર હવે તેમને રાજ્યસભામાં મોકલવાનો ર્નિણય કર્યો છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ ૨૦૩૦ સુધી રાજ્યસભાના સાંસદ રહેશે.
નોમિનેશન ફોર્મ ભર્યા બાદ સુનેત્રા પવારે કહ્યું હતું કે, અમારે ૧૮ મી સુધી રાહ જોવી પડશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને મહાયુતિ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટી દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસ માટે કામ કરવું પડશે. છગન ભુજબળ અંગે તેમણે કહ્યું કે, કોઈ નારાજ નથી. સૌએ સાથે મળીને ર્નિણય લીધો અને આજે ખુદ છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર આ માટે તૈયાર નથી, તો તેમણે કહ્યું કે આ જનતાની માંગ છે. પવારે પોતે કહ્યું કે તમારે જ રાજ્યસભામાં જવું જોઈએ.
Recent Comments