રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હરિયાણાના પરિણામોનું થશે પુનરાવર્તન: ચંદ્રબાબુ નાયડુએ કરી ભવિષ્યવાણી

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારના રોજ જાહેર થયા. ભાજપે હરિયાણામાં સંપૂર્ણ બહુમતી હાંસલ કરી લીધી તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં રિકોર્ડ 29 બેઠક હાંસલ કરી. કોંગ્રેસનું પ્રદર્શન બન્ને રાજ્યમાં ખરાબ રહ્યું.ભાજપને તેના સહયોગી પક્ષો તરફથી અભિનંદન આપવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ હવે આગામી મહારાષ્ટ્ર તથા ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈ એક એવી ભવિશ્યવાણી કરી છે કે જેને પગલે ભાજપમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ પરિણામોનું પુનરાવર્તન થશે – નાયડુઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો હરિયાણા જેવા જ હશે. નાયડુએ કહ્યું કે મને કોઈ શંકા નથી. મને વિશ્વાસ છે કે આમ જ થશે. ચંદ્રાબાબુ નાયડુએ એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ થઈ છે અને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે દેશને ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ને સમર્થન આપવાની જરૂર છે કારણ કે વારંવારની ચૂંટણીઓ વિકાસના કાર્યોને અવરોધે છે. તેમણે વધુમાં કહ્યું કે હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ-કાશ્મીરમાં વોટ ટકાવારી એ ઐતિહાસિક જીત છે.

Related Posts