સૌરાષ્ટ - કચ્છ

મહાશિવરાત્રિના મેળા દરમિયાન તા. 25 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ગિરનારના અંબાજી સુધી યાત્રિકો મુખ્ય સીડી પરથી જઇ શકશે, ઉતરવા પર પ્રતિબંધ

મહાશિવરાત્રિના મેળા દરમિયાન યાત્રાળુઓને ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગિરનારના પગથિયા થી મુખ્ય સીડી ઉપર જઈ શકશે તથા પરત ઉતરવા માટે આ મુખ્ય સીડી બંધ રહેશે ગિરનાર પર્વત પર થી ઉતરવા માટે ગૌમુખી ગંગા ની જગ્યા પાસેથી ભરતવન થઈ જતી સીડી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્લી રહેશે અને આ સીડી પર થી ગિરનાર પર્વત ઉપર જઈ શકશે નહીં આ ઉપરાંત મહાશિવરાત્રિના મેળા દરમિયાન યાત્રાળુઓ વડલી ચોક થી ડાબી બાજુ ભવનાથ મંદિર થી મંગલનાથ બાપુ ની જગ્યા તરફ જઈ શકશે જ્યારે વડલી ચોક થી મંગલનાથ બાપુ ની જગ્યા તરફ જવાનો રસ્તો બંધ રહેશે ગિરનાર તળેટીથી પરત ફરતા ભવનાથ મંદિર થી મંગલનાથ બાપુ ની જગ્યા તરફ આવતા યાત્રાળુઓ સીધા રસ્તે વડલી ચોક આવી શકશે પરંતુ મંગલદાસ બાપુ ની જગ્યા થી કે ભવનાથ તળેટી થી સીધ્ધુ ભવનાથ મંદિર તરફ જઈ શકશે નહીં પરંતુ વડલી ચોક થઇને ભવનાથ મંદિર સુધી જઈ શકશે તારીખ 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પાજનાકા પુલ થી ખાખચોક સુધીનો રસ્તો વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ રસ્તા માં કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં તેવુ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Related Posts