અમરેલી

મહુવાના કાટકડા ગામે વીજશોક લાગવાથી અવસાન પામનાર બાળકોના પરિવારજનોને સાંત્વના પાઠવતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા મહુવા તાલુકાના કાટકડા ગામના રહીશ શ્રી કનુભાઈ જાંબુસાના પુત્ર સ્વ. નૈતિક અને પુત્રી સ્વ. પ્રિયંકા
તેમજ શ્રી મગનભાઈ ચૌહાણની પુત્રી સ્વ. કોમલ ત્રણ બાળકોનું વીજ શોક લાગવાથી દુઃખદ અવસાન થતાં અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ
કાછડીયાએ કાટકડા મુકામે ઉપસ્થિત રહી બંને પરિવારોને સાંત્વના પાઠવી હતી તેમજ બાળકોના દિવ્ય આત્માની શાંતિ અર્થે ઈશ્વર સમક્ષ પ્રાર્થના
કરી હતી.

આ તકે સાંસદશ્રી સાથે પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી, ગારિયાધાર તાલુકા
પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી ઘેલાભાઈ મકવાણા, ગારિયાધાર તાલુકા મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ મહેતા, બગદાણા પી.એસ.આઇ. શ્રી ગઢવી,
પ્રાથમિક શિક્ષણ વિભાગ માંથી શ્રી સંજયભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts