વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર રાજ્ય દેશભક્તિના રંગે રંગાયું છે. ભાવનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગવાન બન્યું છે. ત્યારે આજરોજ તાલુકાઓમાં હર ઘર તિરંગા અભિયાન અન્વયે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના મહુવામાં ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા મહુવાના ભદ્રોડ ગામે ફરી હતી. આ તકે વિશાળ સંખ્યામાં શાળાના બાળકો સહિત આગેવાનો, અધિકારીઓ જોડાયા હતા.
મહુવાના ભદ્રોડ ગામે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ

Recent Comments