અમરેલી-મહુવા-ગારીયાધાર વિસ્તારના કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનના લોકસભાના શિક્ષીત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર દ્વારા મહુવામાં આજે રલડ શો યોજવામાં આવ્યો હતો તેમાં તેઓએ મહુવાના લોકોને મળી અને તેમના આશિર્વાદ મેળવ્ય હતા આ તકે આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં સમગ્ર તાલુકામાં થી લોકો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો અને સ્વચ્છીક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. સમગ્ર મહુવા શહેર આ રોડ શો માં લોકો દ્વારા જેનીબેન ઠુમ્મને ઉમળકાભેર લોકોનો આશિર્વાદ અને આવકાર મળ્યો હતો.
આ રોડ શો બાદમાં સભામાં પરિવર્તીત થયો હતો જેમાં અત્રેની કોમીનીટી હોલ ખાતે વિશાળ જાહેરસભા યોજાઈ હતી જેમાં જેનીબેન ઠુમ્મરે સંબોધન કર્તા જણાવ્યુ હતુ કે મહુવા તાલુકો મારા સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યારે મહુવા તાલુકાને જિલ્લો બનાવવા જે કાંઈ કરવુ પડશે તે હું કરીશ તેનું વચન આપુ છું. આ ઉપરાંત આ વિસ્તારના ખેડૂતો જે ડુંગળી પકવે છે. અને અન્ય નાની મોટી ખેત પેદાશો લે છે તેમને વધુમાં વધુ ભાવ મળે અને ખેતી ઉપર ઓછો ખર્ચ થાય તે માટે રાહુલ ગાંધીએ આપેલી એમ.એસ.પી.ના કાયદાને હું સમર્થન કરીશ અને ખાતર-બિયારણ પરના કરવેરા કા તો નાબૂદ કરાશે. મહુવા વિસ્તારના ઐતિહાસીક સ્થળોને કારણે અહીંયા પ્રવાસન ઉદ્યોગનો સારો વિકાસ થાય તેમ છે. ત્યારે આ વિસ્તારના રસ્તાઓ અને અન્ય સુવિધાઓનું ઈન્ફાસ્ટ્રકચર સારૂમાં સારૂ બનાવવામાં આવશે. આ વિસ્તારમાં લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો મળે અને ખાસ કરીને અયોઘ્યા,કાશી,મથુરા અને ચારધામની ટ્રેન અહીંયાથી શરૂ થાય તેવી મારી માંગણી અને રજુઆત રહેશે.
આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે તે માટે ગૃહ ઉદ્યોગો અને પ્રકૃતિને અનુરૂપ ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. અને તેમાં વધુમાં વધુ મહુવાના યુવાનોને રોજગારી મળે તેવા મારા પ્રયત્નો રહેશે. આ ઉપરાંત મહુવા વિસ્તારમાં સારામાં સારી સ્કુલ,કોલેજ,એન્જીન્યરીંગ,મેડીકલ કોલેજો શરૂ કરાવવા સરકારમાં મારી સતત રજુઆતો રહેશે. આ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અને હોસ્પિટલમાં શિંક્ષકો અને ડોકટરોની અછત દુર કરાશે. અને નવે આધુનિક હોસ્પિટલો બનાવવા મારી રજુઆતો રહેશે.
બહેનોના વિકાસ માટે મહિલા તાલીમ કેન્દ્રો અને પશુપાલન ઉદ્યોગને વેગ મળે અને ડેરી ઉદ્યોગની અહીંયા સ્થાપના થાય તેવા મારા પ્રયત્નો રેહેશે.
આ રોડ શો અને સભામાં અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુંમ્મર, મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા, જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, મહુવાના આગેવાન રાજભાઈ મેહતા, વિજયભાઈ બારૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોષી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વી. ડી. મકવાણા, બાબુભાઇ જેઠવા, લાખાભાઇ ગોહિલ, જીતેન્દ્રસિંહ વાજા, દીપકભાઈ મકવાણા, મેહબૂબભાઈ કલાણીયા, પરેશભાઈ જીંજાળા, અરવિંદભાઈ કાતરીયા, અનંતસિંહ સોલંકી, રામસિંહ પઢીયાર, કીર્તિભાઇ રાવલિયા, ભાણભાઈ બારૈયા, તાલુકા પંચાયતના સભ્યો છગનભાઇ નકુમ, મહેશભાઈ કવાડ, ચંદુભાઈ ચૌહાણ, અજીતભાઈ ભીલ, જીલ્લા પંચાયતના સભ્ય જનકભાઈ શિયાળ, નગરપાલિકાના સભ્યો જયશ્રીબેન સરવૈયા, રાજેશ્વરીબેન દવે, જેતુનબેન દાસાડિયા, શેહનાઝબેન ઉપરાંત સૈયદ સાલે, ઉંમરભાઈ, આસિફભાઇ, સહકારી ક્ષેત્રના આગેવાન બિપીનભાઈ જોષી, ઘેલુભા ગોહિલ, ભયલુભાઈ કામળીયા તથા વિવિધ સેલ અને સમિતીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો,તાલુકા,જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો,સરપંચશ્રીઓ, સહિત મહિલા મોરચાના આગેવાનો અને યુવક કોંગ્રેસ સહિત સ્વચ્છીક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. અને સૌ કોઈ એ સામે મળી અને જંગી બહુમતિથી જેનીબેન ઠુમ્મરને વિજય બનાવવા અને કોંગ્રેસ તરફી વધુમાં વધુ મતદાન કરાવવા સંકલ્પ લીધો હતો.
Recent Comments