ભાવનગર

મહુવામાં મતદાન જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધા યોજાઇ

મહુવામાં શેઠ એમ.એન.હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી પ્રથમ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કાપડિયા અલ્પેશ જેઓને મહુવા મામલતદારશ્રી નિરવ પરિતોષના વરદ્ હસ્તે ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું.

બીજા ક્રમે આવેલ ખેરાળા વિષ્ણુને સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી મહુવાના ડૉ.ગંભીરસિંહ એસ. વાળાના વરદ્હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. ત્રીજા નંબર પ્રાપ્ત કરનાર બારૈયા મેહુલને આઈ.ટી.આઈ. મહુવાના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ પી. પરમારના વરદ્ હસ્તે ઇનામ આપવામાં આવ્યુ હતું. શાળાના આચાર્યશ્રી ગજ્જરે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીભરતસિંહ ચૌહાણ અને દેશાણી દ્વારા આયોજનપૂર્વક સફળ બનાવ્યુ હતું.

Related Posts