હુવા રામકથામાં અંદર અને બહાર ઝળાંહળાં…!મહુવા ગુરુવાર તા.૨-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)શાસ્ત્રો અને ધર્મકથાઓ માનવ જીવનને સતત પ્રેરણા આપતા હોય છે. ગોહિલવાડના ગૌરવરૂપ નગર મહુવામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ ભૂતનાથ’ લાભ લેવા સ્થાનિક તેમજ દેશ અને વિદેશથી ભાવિકો જોડાયા છે. કથા સ્થાન ‘ચિત્રકૂટ ધામ’ અને ભૂતનાથ મહાદેવ પાસેના પ્રવેશદ્વાર પર વિદ્યુત સુશોભન કરાયું છે. વડલી મહુવામાં આ કથામાં બહારથી ઝળાંહળાં તો કરાયું જ છે, ભાવિક શ્રોતાઓના હૈયા સનાતન ધર્મના મૂલ્યો સાથે પોતાના અંદર હૈયામાં પણ ઝળહળાટ પામી રહ્યા છે. રામકથા એ જ તો અંદર અને બહાર ઝળાંહળાંનો લાભ લેવાનો છે…!
મહુવા રામકથામાં અંદર અને બહાર ઝળાંહળાં…!

Recent Comments